એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના માત્ર આટલા જ ફાયદા નથી. જો તમે એલચી ખાયને ગરમ પાણી પી લો છો તો તમને તેના ડબલ ફાયદા મળી શકે છે. તો ચાલો જાણીએ રાતના એલચી ખાયને ગરમ પાણી પીવાના ફાયદા.
આયુર્વેદિક એક્સપર્ટના મતે કહેવું છે કે એલચી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાની એલચી કફ, ઉધરસ, અસ્થમા, બવાસીર અને યૂરિનમાં થતી બળતરામાં ફાયદાકારક છે. હાર્ટને હેલ્ધી રાખે છે. માનિસક તણાવ, વોમિટને પણ દૂર કરે છે. મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી સુગંધિત કરે છે અને પથરીને પણ જડમૂળથી મટાડે છે. રાતના સૂતા પહેલા એક એલચીને ગરમ પાણીની સાથે ખાવાથી ઘણા ફાયદા થાય છે.
પેટ થઈ જશે અંદર
જો તમારું પેટ નીકળેલું છે અને તમે તેને અંદર કરવા ઈચ્છો છો તો રાતના 2 એલચી ખાયને ગરમ પાણી પી લો. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B1, B6 અને વિટામિન C બોડીના એક્સ્ટ્રા ફેટને ઓગાળી દે છે. તેમજ તેમાં રહેલા ફાઇબર અને કેલ્શિયમ વજન પણ કંટ્રોલ કરે છે. તો એલચી ખાયને ગરમ પાણી પીવાનું ભૂલતા નહીં.
User Rating:
4.72
( 5 votes)