ગુજરાતતાજી ખબરોલાઈફસ્ટાઈલ
ખૂબ ગુણકારી તુલસીના સેવન વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક ભૂલ પડશે ભારે
તુલસીનું બાયોલોજિકલ નામ બેસિલ છે. તુલસીને હિંદુ ધર્મમાં ખૂબજ પવિત્ર ગણવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. ઘણાં ઘરમાં તુલસીની નિયમિત પૂજા પણ થતી હોય છે. તુલસીના ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક ફાયદા પણ બહુ છે.
ઘરનાં આંગણમાં વાવેલ તુલસીનો આ છોડ હેલ્થ માટે પણ ઘણોફાયદાકારક છે. આયુર્વેદમાં પણ તુલસીને એક મહત્વની ઔષધી ગણવામાં આવી છે. ઘણા રોગોના નિદાન માટે તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીનાં પાન સર્વશ્રેષ્ઠ એન્ટિબાયોટિક ગણાય છે. વિશેષકોનું માનવું છે કે, શ્વાસ સંબંધિત બીમારીઓમાં તુલસી ખૂબજ ફાયદાકારક છે.
આમ તો તુલસીથી અનેક બીમારીઓનો ઇલાજ કરી શકાય છે, પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર તુલસીને દાંતથી ચાવી શકાય નહીં. હિંદુ સંસ્કૃતિમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીના રૂપમાં પૂજવામાં આવે છે, તેથી તે ખૂબજ પવિત્ર વસ્તુ છે.એટલું જ નહીં, વિજ્ઞાન પણ તુલસીનાં પાનચાવવાની જગ્યાએ સીધાં ગળવાની કે બીજી કોઇ રીતે ઉપયોગમાં લેવાની સલાહ આપે છે. તેના માટે વિજ્ઞાનમાં કેટલાંક કારણો પણ આપવામાં આવ્યાં છે.
.
great
super
sahi bat hein
tulsi ki to bat kich alang hi he