તાજી ખબરોમનોરંજનલાઈફસ્ટાઈલ
સુશાંતસિંહની જિંદગીના છેલ્લા કલાકોની કહાણી
ટીવી સિરીયલ્સમાં પોતાના અભિનયનો જાદુ દેખાડ્યા બાદ ફિલ્મો દ્વારા લોકોનાં દિલમાં પોતાની જગ્યા બનાવનારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. તેમણે મુંબઈના બાંદ્રામાં જ્યાં તેઓ ભાડાના ફ્લેટમાં રહેતા હતા એ જ ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંતની આત્મહત્યાનું કારણ હજી સામે આવ્યું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશન સામે લડી રહ્યા હતા.
સુશાંતસિંહ રાજપૂતનો મુંબઈમાં ખુદનો ફ્લેટ હતો પરંતુ તેઓ મોટા ઘરમાં રહેવા માગતા હતા એટલે આઠ મહિના પહેલાં તેઓ ભાડાના ફ્લેટમાં રહેવા આવી ગયા હતા. તેઓ આ ફ્લેટમાં એકલા નહોતા રહેતા તેમની સાથે તેમના ક્રિએટિવ મૅનેજર, તેમના એક મિત્ર અને નોકર, જે તેમનું ખાવાનું બનાવતા હતા તેઓ રહેતા હતાં.
સુશાંતસિંહ રાજપૂતના નોકરે પોલીસને જણાવ્યું, “સવાર સુધી બધું સારું હતું. સવારે 6-30 વાગ્યે સુશાંતસિંહ જાગ્યા હતા. ઘરના નોકરે તેમને નવ વાગ્યે દાડમનો જ્યૂસ આપ્યું. જે તેમણે પીધું પણ હતું.”
“જે બાદ સુશાંતસિંહે 9 વાગ્યે તેમની બહેન સાથે વાતચીત કરી હતી. બહેન સાથે વાત કર્યા બાદ તેમણે પોતાના મિત્ર મહેશ શેટ્ટી સાથે વાત કરી જેઓ એક અભિનેતા છે અને તેમની સાથે જ સુશાંતસિંહે પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. બંને ખૂબ સારા મિત્રો હતા અને સુશાંતે અંતિમ કૉલ પણ તેમને જ કર્યો હતો.”
“જે બાદ તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા હતા અને રૂમને અંદરથી લૉક કરી દીધો હતો. જ્યારે 10 વાગ્યે નોકર જમવા માટે પૂછવા આવ્યો તો સુશાંતે દરવાજો ના ખોલ્યો.”
બે-ત્રણ કલાક પછી મૅનેજરે સુશાંતસિંહની બહેનને કૉલ કર્યો. બહેન આવ્યાં અને તાળાની ચાવી બનાવનારાને બોલાવીને દરવાજો ખોલવામાં આવ્યો.
પોલીસના જણાવ્યા પ્રમાણે સુશાંતસિંહનું મોત 10થી 1 વાગ્યાની વચ્ચે થયું હોવું જોઈએ. બહેન અને બાકી ત્યાં હાજર લોકોએ સુશાંતસિંહના મૃતદેહને લટકતો જોયો, જે બાદ નોકરે ફોન કરીને પોલીસને બોલાવી.
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત 34 વર્ષના હતા અને તેમણે બોલીવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી હતી. બિહારથી તેમના પિતા અન પરિવારના સભ્યો મુંબઈ પહોંચી રહ્યા છે સોમવારે તેમના અંતિમસંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.