કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામી છે. હાલ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીને વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે (રવિવારે)ભરતસિંહને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. જેમાંઆજરોજ તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે.
રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો સાથે હતા. તમને જણાવીએ કે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.