શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે સુશાંત મામલે મોટો આક્ષેપ કરતા કહ્યું છે કે સુશાંતસિંહ તેના પિતાએ બીજા લગ્ન કર્યા તેનાથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો છે. આદિત્ય ઠાકરે પર થઈ રહેલા આક્ષેપ પછી સંજય રાઉતના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
સંજય રાઉતે કહ્યું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી અંકિતા લોખંડે જુદા શા માટે થયા? એની તપાસ શા માટે થઈ નથી? મુંબઈ પોલીસે આ પ્રકરણ નાહક શા માટે ખેંચ્યુ? આ પ્રકરણ હાઈ પ્રોફાઈલ થઈ રહ્યું હોવાનું દેખાતા જ પોલીસે પ્રસારમાધ્યમોને આ બાબતે બીજા દિવસે માહિતી શા માટે ન આપી? એવા સવાલો કરતા શિવસેના નેતા સંજય રાઉતે મુંબઈ પોલીસને નિશાન બનાવી હતી.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.