તાજી ખબરોલાઈફસ્ટાઈલ

ઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર

ગરમી આવતાની સાથે મચ્છર રાતની ઊંઘ ઉડીવી જાય છે. એવામાં કેટલીક વખત તેનાથી બચવા માટે સામાન્ય રીતે અનેક ઘણા પ્રયત્નો કરતા હોય છે તેમ છતા આ ત્રાસ ઓછો થતો નથી. તેમજ ઘરમાં મચ્છરોના આતંકથી પરેશાન છો તો ઝેરીલા મોસ્કિટો કોઇલની જગ્યા પર કેટલીક કુદરતી વસ્તુઓથી તેને દૂર કરો છો. કેટલીક વખત ઘરમાં મચ્છર થવાને કારણે બીમારી થવાનો ભય રહે છે. જો તમારી સાથે પણ આવું જ કઇક થાય છે તો આ વખતે મચ્છરોથી બચવા માટે આ 3 પ્રાકૃતિક ઉપાય અપનાવો . જેનાથી ઓછા ખર્ચે તમને મચ્છરોથી છૂટકારો મળી શકે છે.

લવિંગનું તેલ
કેટલીક શોધમાં જાણવા મળ્યું છે કે લવિંગના તેલની સુગંધથી મચ્છર દૂર ભાગે છે. લવિંગના તેલને નારિયેળ તેલમાં મિક્સ કરીને ત્વચા પર લગાવી લો. જેનાથી મચ્છરો તમારાથી દૂર ભાગશે અને તમારાથી બીમારીઓ પણ દૂર રહેશે.

લીમડાનું તેલ

અમેરિકાની નેશનલ રિસર્સ કાઉન્સિલેપણ તેની એક શોધમાં જણાવ્યું છે કે લીમડાનું તેલ કોઇપણ રિપેલેન્ટથી વધારે પ્રભાવી હોય છે. એટલું જ નહી તેનું ઝાડ લગાવવાથી પણ મચ્છર દૂર થઇ જાય છે અને મચ્છરોથી છૂટકારો મળે છે.

ગલગોટાનું ફુલ
ગલગોટાના ફુલની સુગંધ ન ફક્ત તમને તાજગીથી ભરી દે છે પરંતુ મચ્છર પણ દૂર ભાગે છે. ગલગોટના ફુલને તમે બગીચામાં જ નહીં પરંતુ અગાશીમાં પણ રાખી શકો છો. જેથી સાંજના સમયે મચ્છર ઘરમાં પ્રવેશ કરી શકે નહીં.

User Rating: 3.89 ( 4 votes)
Tags
Show More

Related Articles

4 thoughts on “ઘરમાં થઇ ગયા છે મચ્છર તો આ 3 સહેલા ઉપાયથી થશે દૂર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *