નવી દિલ્હી:
ખાડી પ્રદેશમાં સતત વધતા જતા સુરક્ષા જોખમોને પગલે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. આગામી આદેશ સુધી હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકો (Seafarers) ની નવી નિમણૂક કરવા પર તાકીદની રોક લગાવી દેવામાં આવી છે.
૧૪ નાવિકોના મોત બાદ નિર્ણય
આ દરિયાઈ માર્ગ પર અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે હુમલાઓનું જોખમ ચરમસીમાએ છે. આ જ અઠવાડિયે થયેલા ઈરાની હુમલામાં વધુ બે ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે. અહેવાલો મુજબ, ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં થયેલા વિવિધ હુમલાઓમાં કુલ ૧૪ ભારતીય નાવિકોના મોત થયા છે.
નિયમો અને નવી માર્ગદર્શિકા
કોના પર લાગુ: આ આદેશ તમામ શિપિંગ માલિકો, મેનેજમેન્ટ કંપનીઓ અને નાવિકોની ભરતી કરતી RPSL એજન્સીઓ પર લાગુ થશે.
અપવાદ: જો કોઈ વિદેશી કંપની ભારતની બહારથી સીધી ભરતી કરે છે, તો આ નિયમ લાગુ નહીં પડે.
કડક આદેશ: સરકારે તમામ ઓપરેટર્સને અરબની ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિશેષ સાવચેતી રાખવા અને ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી (ISPS) કોડનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે.
ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.